• રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવાની છે.
  • પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમથી તમામ શહેર અને વર્ગખંડ સુધી પહોંચાડવા જીપીએસ સિસ્ટમનો કરાયો ઉપયોગ.
  • TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આજે એ ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-1)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આજે રાજ્યના ચાર મહાનગરોમાં 445 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. મહત્વનું છે કે, શિક્ષક બનવા માટે ફરજિયાત TETની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે.

પેપરની કેવી છે સુરક્ષા?

પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થશે. સમગ્ર રૂટ પર રખાશે નજર. આ ટેક્નોલોજી મારફતે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમથી તમામ શહેર અને વર્ગખંડ સુધી જીપીએસ સિસ્ટમના દાયરામાં પહોચશે. પ્રશ્નપત્રના સમગ્ર રૂટ પર PATA પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન મારફતે નજર રખાશે. એટલું જ નહીં સ્ટ્રોંગ રૂમથી પ્રશ્નપત્ર નીકળે ત્યારે અને કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધીના ફોટોગ્રાફ પણ એપ્લિકેશનમાં અપલોડ થશે.

You Might Also Like