સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત મહિલા સ્વાવલંબન અનુલક્ષી એક મહિલા કાર્યક્રમનું આયોજન રાખેલ છે
*સ્વાવલંબી ભારત અભિયાન અંતરગત મહીલા સ્વાલંબન અનુલક્ષી એક મહિલા કાર્યક્રમનું આયોજન રાખેલ છે **
તારીખ :- 17 સપ્ટેમ્બર 2023 (ભાદરવા સુદ બીજ )
સમય સવારે 10 થી 11
સ્થળ :- એ કે કોમ્યુનિટી હોલ ,નવું હાઉસિંગ બોર્ડ , છોટાલાલ પેટ્રોલ પમ્પની બાજુની શેરી
આ કાર્યક્રમ માં માર્ગદર્શન આપશે ભાર્ગવીબેન ભટ્ટ (સ્વાવલંબી ભારત અભિયાન પ્રાંત સંયોજક તથા વનિતાબેન રાઠોડ સ્વદેશી જાગરણ મંચ બંને બહેનોનો વિશિષ્ટ પરિચય સાથે નીચે મોકલેલ છે
રાઠોડ વનિતા (BBA, M.Com, B. Ed) naturopathic doctor.. સંગીત વિશારદના 5માં વર્ષ અભ્યાસ ચાલુ)
આચાર્યા,શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩, રાજકોટ
(HTAT આચાર્ય) ૧૯ વર્ષ
*વિશિષ્ટ કાર્ય*
પર્યાવરણ માવજત, સમાજસેવિકા તથા લેખિકા, શોર્ટ ફિલ્મ નિર્માણ, રેડિયો પર બાળનાટકો રચવા.
*મળેલ સન્માન*
વર્ષ 2021 માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટે પસંદગી થઈ જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સી અરબિંદો સોસાયટી ન્યૂ દિલ્હી દ્વારા 2019 માં નેશનલ ઈનોવેટિવ ટીચર નો એવોર્ડ mhrd મિનિસ્ટર રમેશ પોખરીયાલજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો.
2020 ના રાજ્ય પારિતોષિક માં ગુજરાત સરકારના શ્રેષ્ઠ h-tat આચાર્ય નું રાજ્ય કક્ષાનો એવોર્ડ રાજ્યપાલશ્રી દેવવ્રતચાર્ય ના હાથે ના હસ્તે પ્રાપ્ત કર્યો.
2019માં જિલ્લાના શ્રેષ્ઠ h-tat આચાર્ય તરીકેનું સન્માન પ્રાપ્ત થયું 2018 માં સાંદિપની આશ્રમ પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ગુરુ વંદના એવોર્ડ પ્રાપ્ત થયો.
નવ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ આચાર્ય નું સન્માન પ્રાપ્ત થયું.
પુણ્ય શોર્ટફિલ્મ માટે 2018માં નેશનલ સન્માન પ્રાપ્ત થયું. આ ઉપરાંત લેખિકા તરીકે ગાંધીનગર સાહિત્ય અકાદમી દ્વારા સન્માન મેળવ્યું છે.
રાજકોટ જિલ્લા કક્ષાએ હાલમાં સુષ્માસ્વરાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
5 નેશનલ એવોર્ડ 15 રાજ્યકક્ષાના એવોર્ડ તથા 110 થી વધુ વખત સ્થાનિક સન્માન મળેલ છે.
ભાર્ગવી ઉપાધ્યાય ભટ્ટ
અભ્યાસ : બી.એ એલએલબી એલ.એલ.એમ. બીજેએમસી.
વ્યવસાય : પ્રોફેસર તરીકે ફરજ બજાવે લો કોલેજ માં
નિવાસસ્થાન : રાજકોટ સંઘના ઘણા ક્ષેત્રોમાં કાર્યરત છે
હાલ સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી છે
તેમજ સ્વાવલંબી ભારત અભિયાન માં સૌરાષ્ટ્ર પ્રાંતની સહ સમન્વયક જવાબદારી છે