બગથળા શાળામાં આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર તેમજ તે ઉપરાંત અનેકવિધ સમાજ કલ્યાણની પ્રવૃતિઓમાં આજીવન ખપાવી દેનાર મગનલાલ રાઘવજીભાઈ પંડ્યાની પ્રતિમાનું તાલુકા શાળાના પ્રાંગણમાં અનાવરણ કરવામાં આવ્યું હતું

 

મગનલાલ રાઘવજીભાઈ પંડ્યા સાહેબે વર્ષ ૧૯૫૭ થી ૧૯૭૫ સુધી બગથળા તાલુકા શાળાના આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી તેઓ શિસ્તના આગ્રહી, સમય પાલનમાં માનનાર, કર્મનિષ્ઠ આદર્શ શિક્ષક હતા. બગથળા ગામને શિક્ષણ અને કેળવણીના પાયાના કર્મવીર હતા તેઓ બગથળાને ભેજાવાળું ગામ બનાવવામાં અભૂતપૂર્વ ફાળો આપ્યો હતો આજુબાજુના ગામોની તાલુકા શાળાનો વહીવટ તેમના દ્વારા જ થતો હતો તેઓએ બગથળા પોસ્ટની કામગીરી સરસ રીતે બજાવી હતી નકલંક મંદિરમાં નિવૃત્તિ બાદ વ્યવસ્થાપક તરીકે ઉમદા ફરજ નિભાવી હતી તેઓને રાજ્યપાલ દ્વારા આદર્શ શિક્ષક તરીકેનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો

 

આવા કર્મનિષ્ઠ આચાર્યની કાયમી સ્મૃતિ રૂપે તથા ભવિષ્યના શિક્ષકો અને ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવા માટે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વેલજીભાઈ ટી કોરવાડિયા (આઈ.એફ.એસ.) નિવૃત તથા ડો. અનિલભાઈ એન પટેલ (એમ.એસ.) ઓર્થોપેડિક દ્વારા પ્રતિમા તૈયાર કરાવી તાલુકા શાળાના પ્રાંગણમાં મગનલાલ આર પંડ્યા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે બગથળા ગામના સરપંચ, શિક્ષકમિત્રો, પંડ્યા સાહેબના કુટુંબીજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

You Might Also Like