લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ શાળામાં કાર્યક્રમ યોજાયો
"ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગર" ના સહયોગથી તથા "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા વાંકાનેર તાલુકા ની વિવિધ સ્કૂલો શ્રીમતિ એલ કે સંઘવી ગર્લ્સ સ્કૂલ- વાંકાનેર , શ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા , શ્રી હસનપર પ્રાથમિક શાળા , શ્રી દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ખાતે "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત દિપેનભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થી ને "ઉર્જા જાગૃતિ" ના વિડિઓ કલીપ, પોસ્ટર, પ્રોજેક્ટર પર પ્રેઝન્ટેશન, ત્યારબાદ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી જેમાં વધુ માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીને શાળા ના આચાર્ય શ્રી ને સાથે રાખી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. એવી માહિતી શ્રી એલ એમ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી ..