આજ રોજ શ્રી કૃષ્ણનગર પ્રા.શાળામાં વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં બાળકો દ્વારા હનુમાનજી,ભગવાન શિવશંકર,રામદેવપીર, ડોક્ટર,રાણી લક્ષ્મીબાઈ,શાકભાજી વેચનાર, કઠિયારો, રાધાકૃષ્ણ-ગોપીયો, લવકુશ,ખેડુત, વગેરેની બાળકો દ્વારા સુંદર વેશભૂષા રજૂ કરવામાં આવી હતી.આ તકે શાળાના તમામ બાળકોને શાળા પરિવાર વતી પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા

 *આ પ્રસંગે સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ ગોગરા, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિજયભાઈ ગોસાઈ, શિક્ષણગણ, વાલીગણ, ગ્રામજનો‌હાજર રહ્યા હતા*

You Might Also Like