સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે રાજપર તાલુકા શાળામાં રંગતરંગ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતુ
ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ શ્રી રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગતરંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત માનનીય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ (ધારાસભ્ય ટંકારા પડધરી)ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી પધારેલા મહેમાનોનું અભિવાદન રાજપર તાલુકા શાળા ના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું .દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ દ્વારા પ્રારંભિક પ્રવચન કરી શાળાના બાળકોને અનેરા ઉત્સાહમાં લાવી દીધા .કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગળચર સાહેબ (નાયબ DPO તથા TPO શ્રી મોરબી)અશોકભાઈ દેસાઈ (પ્રમુખ શ્રી તાલુકા પંચાયત મોરબી) નયનભાઈ અઘારા (સદસ્ય શ્રી જિલ્લા પંચાયત મોરબી) કેતનભાઇ મારવાણીયા (સદસ્ય તાલુકા પંચાયત મોરબી) રવિભાઈ સનાવડા, વિશાલભાઈ ઘોડાસરા, વિજયભાઈ કોટડીયા ,દિનેશભાઈ વડસોલા, વિનોદભાઈ ગોધાણી ,ભરતભાઈ મારણીયા( સરપંચ રાજપર ગ્રામ પંચાયત) મનહરભાઈ અઘારા(ઉપસરપંચ રાજપર ગ્રામ પંચાયત) કરમશીભાઈ મારણીયા ,મહેશભાઈ બાવરવા તથા SMC સભ્યો નવજીવન ગ્રુપના સદસ્ય રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન લીલા લેરના સદસ્ય ,ગામ લોકો વાલીશ્રીઓ તથા કાયમી શાળામાં ઉપયોગી સ્વયંસેવકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળાના શિક્ષક મિત્રોએ બાળકોમાં રહેલી શક્તિઓને બહાર કાઢવા અને બાળકોની શક્તિઓને ખીલવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી .શાળાના બાળકો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે ઐતિહાસિક નાટકો, કોમેડી નાટકો ,એક પાત્રિય અભિનય ,ગીત સંગીત ની ભવ્યથી અતિભવ્ય રજૂઆત કરી દરેક હાજર રહેલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમના અંતમાં ગામના દાતાશ્રી પંકજભાઈ નરભેરામભાઈ વડગાસીયા એ બધાઓને ગરમાગરમ નાસ્તો કરાવ્યો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી



