કેન્દ્ર સરકારે મંગળવારે દિલ્હીમાં તીન મૂર્તિ ભવન સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (NMML)નું નામ બદલી નાખ્યું છે. હવે આ જગ્યા પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી (PMMS)ના નવા નામથી ઓળખાશે. સરકારે 16 જૂને જ આ મ્યુઝિયમનું નામ બદલવાની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટથી તેને નવા નામથી ઓળખવામાં આવશે.

કોંગ્રેસે વિરોધ કર્યો હતો

નહેરુ મેમોરિયલ મ્યુઝિયમના નામ બદલવાને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જેમની પાસે કોઈ ઈતિહાસ નથી તેઓ બીજાના ઈતિહાસને ભૂંસવા નીકળ્યા છે. તેમણે કહ્યું હતું કે નામ બદલતા પહેલા વડાપ્રધાન નેહરુના વ્યક્તિત્વને ઘટાડી શકાય નહીં.

Political slugfest erupts over Nehru Memorial renaming | Latest News India  - Hindustan Times

જેપી નડ્ડાએ જવાબ આપ્યો

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ એ હકીકતને પચાવી શકતી નથી કે વિવિધ વંશના નેતાઓ પણ દેશ માટે યોગદાન આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પીએમ મ્યુઝિયમ એ રાજકારણથી આગળનો પ્રયાસ છે.

પૂર્વ પીએમ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન

1929-30 દરમિયાન બાંધવામાં આવેલ, તીન મૂર્તિ હાઉસ અગાઉ ભારતમાં કમાન્ડર ઇન ચીફનું સત્તાવાર નિવાસસ્થાન હતું. આઝાદી પછી, તે તત્કાલિન પીએમ જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન બન્યું. નેહરુ 1964 માં તેમના મૃત્યુ સુધી લગભગ 16 વર્ષ અહીં રહ્યા હતા. ત્યારપછીની સરકારે નહેરુને સમર્પિત આ ઈમારતમાં એક સંગ્રહાલય અને પુસ્તકાલય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને NMML સોસાયટીની સ્થાપના કરવામાં આવી.

You Might Also Like