I.N.D.I.A ગઠબંધનની કો-ઓર્ડિનેશન કમિટીની રચના, શરદ પવાર સહિત આ 13 નેતાઓનો સમાવેશ
મુંબઈમાં ચાલી રહેલી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં આજે સંકલન સમિતિના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં કેસી વેણુગોપાલ, શરદ પવાર, સ્ટાલિન, સંજય રાઉત, તેજસ્વી યાદવ, અભિષેક બેનર્જી, રાઘવ ચડ્ડા, જાવેદ ખાન, લલ્લન સિંહ, હેમંત સોરેન, ડી રાજા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. . જોકે, કન્વીનર અંગે નિર્ણય આવવાનો બાકી છે. મુંબઈમાં વિપક્ષી ગઠબંધનની બેઠકનો આજે છેલ્લો દિવસ છે.
બેઠક વહેંચણી અંગે પણ ચર્ચા
જણાવવામાં આવી રહ્યું છે કે સંયુક્ત રેલીની રૂપરેખા નક્કી કરવા સાથે આજે આ બેઠકમાં કન્વીનર અને અધ્યક્ષ અંગે નિર્ણય લેવાનો છે. આ સિવાય સીટ વહેંચણીની ફોર્મ્યુલા શું હોવી જોઈએ, તેની પણ ચર્ચા કરવામાં આવશે.

સાથે જ આજે પ્રવક્તાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે. ઈન્ડિયા એલાયન્સના પ્રવક્તાઓની નિમણૂક કરવામાં આવશે, જેથી ઈન્ડિયા એલાયન્સના વિવિધ મુદ્દાઓ પર સ્ટેન્ડમાં એકરૂપતા રહે. સોશિયલ મીડિયા, ડેટા એનાલિસિસ અને સંયુક્ત રેલીને લઈને એક કમિટી પણ બનાવવામાં આવશે.
વિપક્ષી ગઠબંધનમાં 28 પાર્ટીઓ સામેલ
આ બેઠકમાં કોંગ્રેસ સહિત દેશની કુલ 28 પાર્ટીઓ સામેલ છે. વિપક્ષી પાર્ટીઓ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે મોદીની આગેવાની હેઠળના NDA ગઠબંધનને હરાવવાની તૈયારી કરી રહી છે. પ્રથમ દિવસની મીટીંગ પછી હોટેલ ગ્રાન્ડ હયાત ખાતે વિચારમંથનનું સત્ર યોજાયું હતું. આ સત્રમાં બેઠક ફાળવણી અને ભાજપને ટક્કર આપવા માટે એક સામાન્ય કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઈન્ડિયા એલાયન્સ શક્ય તેટલી વહેલી તકે સીટ એલોકેશન ફોર્મ્યુલા નક્કી કરવા માંગે છે, કારણ કે વિપક્ષી નેતાઓને લાગે છે કે આ વખતે સરકાર સમય પહેલા લોકસભાની ચૂંટણી યોજી શકે છે.