મુસાફરો અમદાવાદ એરપોર્ટથી સીધા જ ભારતના બેસ્ટ 39 પર્યટક સ્થળોએ પહોંચી શકશે, ઉનાળું વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી 39 સ્થળોનો પ્રવાસ સુગમ બનશે.

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પરથી હવે સીધા જ ભારતમાં 39 પર્યટક સ્થળોએ પહોંચી શકાશે. વિગતો મુજબ હવે દેહરાદૂન, મસૂરી, ઋષિકેશ અને ઉત્તરાખંડના પર્વતીય સ્થળોને ખુંદવા ઇચ્છતા લોકો અમદાવાદથી દેહરાદૂન દૈનિક સીધી ફ્લાઇટથી મુસાફરી કરી શકશે. આ સાથે જમ્મુની ડાયરેક્ટ ફ્લાઇટથી યાત્રાધામ વૈષ્ણોદેવી પણ સરળતાથી પહોંચી શકાશે. 

SVPIA દરરોજ 240થી વધુ ફ્લાઈટ્સ
મહત્વનું છે કે, અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટથી દરરોજ  240થી વધુ ફ્લાઈટ્સ હોય છે. આ સાથે અમદાવાદ એરપોર્ટથી સરેરાશ દૈનિક 31000થી વધુ મુસાફરો અવર જ્વર કરે છે. દેશના પર્વતો અને જંગલો ખેડવા એર કનેક્ટિવિટી વધતાં હવે  ઉનાળુ વેકેશનમાં ગુજરાતીઓને જલસા પડી જશે. 

You Might Also Like