બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત, યૌન શોષણ કેસમાં મળ્યા નિયમિત જામીન
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે યૌન શોષણના કેસમાં 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોને નિયમિત જામીન આપ્યા છે. બ્રિજ ભૂષણની સાથે કોર્ટે આ કેસમાં આરોપી વિનોદ તોમરને પણ જામીન આપી દીધા છે. મળતી માહિતી મુજબ, બંનેને કોર્ટે શરતો સાથે જામીન આપ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે એવી શરત મૂકી હતી કે આરોપી જામીન પર હોય ત્યારે સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં.
અગાઉ આ મામલાની સુનાવણી કરતા ન્યાયાધીશે આરોપીઓ અને ફરિયાદ પક્ષના વકીલો તેમજ ફરિયાદીઓની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. બપોરે 4 વાગ્યે કોર્ટે બંને આરોપીઓને શરતી નિયમિત જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન, દિલ્હી પોલીસના વકીલે કોર્ટને કહ્યું કે આરોપીઓ પર કાયદા મુજબ કેસ ચલાવવામાં આવે અને રાહત પર કેટલીક શરતો લાદવામાં આવે.

જ્યારે કોર્ટે સરકારી વકીલને પૂછ્યું કે શું તમે જામીન અરજીનો વિરોધ કરી રહ્યા છો તો તેમણે કહ્યું હતું કે, હું ન તો વિરોધ કરી રહ્યો છું અને ન તો સમર્થન કરી રહ્યો છું. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, અરજીનો નિકાલ કાયદા અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર થવો જોઈએ.
ફરિયાદીઓ તરફથી હાજર રહેલા વકીલે અરજીનો વિરોધ કરતા કહ્યું કે આરોપી ખૂબ જ પ્રભાવશાળી છે. તેણે કોર્ટને કહ્યું, “જામીન ન આપવા જોઈએ. જો આને મંજૂરી આપવામાં આવે તો કડક શરતો લાદવી જોઈએ. સાક્ષીઓનો સમય સમય પર સંપર્ક કરવામાં આવ્યો છે, જો કે કોઈ ખતરો નથી." આરોપીના વકીલે કોર્ટને કહ્યું કે તે તમામ શરતોનું પાલન કરશે. બચાવ પક્ષના વકીલે કોર્ટને કહ્યું, “કોઈ ધમકી વગેરે નહીં હોય. કાયદો ખૂબ સ્પષ્ટ છે. તેને જામીન આપવા જોઈએ. હું શરતોનું પાલન કરવાનું વચન આપું છું.