• 14 જાન્યુઆરીએ ભગવાન રામલલા થઇ જશે ગર્ભગૃહમાં વિરાજમાન

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે UPના ગોરખપુરમાં એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રામમંદિરનું નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થઇ જશે. ડિસેમ્બરમાં ભગવાન શ્રીરામ વિરાજમાન થઇ જશે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બની રહેલા મંદિરમાં લોખંડનો ઉપયોગ નથી થઇ રહ્યો. પથ્થરોથી બનેલું આ મંદિર ત્રણ માળનું હશે. જેમાં 400 થાંભલા હશે.'

તાજેતરમાં જ રામમંદિરના નિર્માણકાર્યની સુંદર તસવીરો ચંપતરાયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેની તસવીરો જોઇ ભક્તોનું મન મોહી જશે.

You Might Also Like